સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.

Views: 113
0 0
Spread the love

Read Time:4 Minute, 37 Second

સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામના બે દલિત મૃતકોના પરિવાર સાથે ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી.* *ભાજપના રાજમાં દલિતો સુરક્ષિત નથી: ઈસુદાન ગઢવી**દલિત પરિવાર દ્વારા પોલીસ રક્ષણની અરજી કરવામાં આવી હતી, પરંતુ તે અરજીની ફેંકી દેવામાં આવી હતી: ઈસુદાન ગઢવી**મુખ્યમંત્રીને વિનંતી છે કે આખા ગુજરાતમાં જ્યાં પણ કોઈ દલિત વ્યક્તિ પોલીસ રક્ષણ માટે અરજી કરે, તો ખૂબ જ સંવેદનશીલતા સાથે તે પરિસ્થિતિને જોવી: ઈસુદાન ગઢવી**યુવકોના આંગળા કાપી નાખ્યા છે. આપણા રુવાટા ઉભા થઈ જાય એવી રીતે કૃરતા આચરવામાં આવી છે: ઈસુદાન ગઢવી**જામનગરના એસપીની આગેવાનીમાં SITની રચના કરવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવી છે: ઈસુદાન ગઢવી**આખા ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે: ઈસુદાન ગઢવી**જો 15-20 દિવસમાં કોઈ કાર્યવાહી નથી થતી, તો અમને જાણ કરવામાં આવે. હું પરિવારના પડખે આવીને ફરીથી ઊભો રહીશ: ઈસુદાન ગઢવી**અમદાવાદ/સુરેન્દ્રનગર/ગુજરાત*આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સુરેન્દ્રનગરના સમઢીયાળાની મુલાકાત લીધી હતી, જ્યાં બે દલિત ભાઈઓ પર હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. ઈસુદાન ગઢવીએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, દલિત પરિવાર પર હુમલો કરીને બે યુવકોની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ મુદ્દા પર આખા ગુજરાતમાં રોષની લાગણી છે. કોઈપણ વ્યક્તિ સાથે કોઈ વાંધો હોય, તો પણ કોઈ કઈ રીતે આ હદે જઈ શકે છે? પરિવાર સાથે વાત કરતા અમને જણાવવામાં આવ્યું કે યુવકોના આંગળા કાપી નાખ્યા છે. આપણા રુવાડા ઉભા થઈ જાય એવી રીતે કૃરતા આચરવામાં આવી છે. આ મુદ્દા પર મેં રેન્જ આઇ.જી, કલેકટર, એસપી સહિતના અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમણે ખાતરી આપી છે કે ૩૦ દિવસમાં તેઓ ચાર્જશીટ રજૂ કરશે અને આ પરિવારને મળવાપાત્ર 8.50 લાખ રૂપિયા મળશે અને જામનગરના એસપીની આગેવાનીમાં SITની રચના કરશે. અને એક મહિનાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે અને આ કેસ દાખલારૂપ બને એ રીતે કેસને આગળ ચલાવવામાં આવશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખા ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે.

આખા ગુજરાતમાં દલિતો સાથે ખૂબ જ અત્યાચાર થઈ રહ્યા છે. એક રાજનેતા તરીકે નહીં પરંતુ એક ભાઈ તરીકે પણ અને ગુજરાતના એક નાગરિક તરીકે મેં સરકારને પણ કહ્યું છે કે તમારા રાજમાં દલિતોની હાલત ખૂબ જ દયનીય છે. અને આગામી સમયમાં આવી ઘટનાના ઘટે, તેનું ધ્યાન રાખવામાં આવે. મને જાણવા મળ્યું છે કે ચાર દિવસ પહેલા આ પરિવારે પોલીસ રક્ષણ માટે અરજી કરી હતી પરંતુ તે અરજીને ફેંકી દેવામાં આવી હતી. તો પોલીસ અધિકારીને પણ કેમ આરોપી બનાવવામાં ન આવે? મારી એક વિનંતી એ પણ છે કે આખા ગુજરાતમાં જ્યાં પણ કોઈ દલિત વ્યક્તિ પોલીસ રક્ષણ માટે અરજી કરે અથવા તો સામાન્ય અરજી કરે તો પણ ખૂબ જ સંવેદનશીલતા સાથે પરિસ્થિતિને જોવી. જેથી કરીને ફરીથી આવી ઘટના ન ઘટે. મેં પીડીત પરિવારને પણ કહ્યું છે કે જો 15-20 દિવસમાં કોઈ કાર્યવાહી નથી થતી તો અમને જાણ કરવામાં આવે. હું તેમના પડખે આવીને ફરીથી ઊભો રહીશ. પરિવારને ન્યાય આપવામાં માટે અને ફરીવાર ગુજરાતમાં દલિતો સાથે અત્યાચાર ના થાય એના માટે આપણે પ્રયાસ કરીશું પરંતુ હું એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે ભાજપના રાજમાં હકીકત એ જ છે કે દલિતો સુરક્ષિત નથી..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Related Posts

સુરેન્દ્રનગરમાં કોલસો કાઢવા માટે ખાણઉતારાયેલા 3 મજૂરોના મોત થયા, 3ની હાલત ગંભીર

Spread the love

Spread the love           સુરેન્દ્રનગરમાં કોલસો કાઢવા માટે ખાણઉતારાયેલા 3 મજૂરોના મોત થયા, 3ની હાલત ગંભીર સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરા ગામમાં કાર્બોસેલની ખાણમાં જીલેટીનથી બ્લાસ્ટ કરાયા બાદ કોલસો કાઢવા માટે ઉતારાયેલા 3 મજૂરોના…


Spread the love

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ

Spread the love

Spread the love           ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના વિવાદમાં બે દલિત ભાઈ-બહેનોની હત્યામાં કથિત સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એમ એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.ચૂડા તાલુકાના સમઢીયાળા ગામમાં…


Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

અમદાવાદ: ૮.૭૦ કરોડના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલ્ટી) સાથે ૪ શખ્સો ઝડપાયાઝોન-૭ LCB દ્વારા સરખેજ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી

  • By admin
  • November 30, 2025
  • 7 views
અમદાવાદ: ૮.૭૦ કરોડના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલ્ટી) સાથે ૪ શખ્સો ઝડપાયાઝોન-૭ LCB દ્વારા સરખેજ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી

એક તરફ ACBના જાગૃતિના બોર્ડ, તો બીજી તરફ F ટ્રાફિક પોલીસની ‘દિવાળી ઉઘરાણી’નો વીડિયો વાયરલ

  • By admin
  • October 16, 2025
  • 21 views
એક તરફ ACBના જાગૃતિના બોર્ડ, તો બીજી તરફ F ટ્રાફિક પોલીસની ‘દિવાળી ઉઘરાણી’નો વીડિયો વાયરલ

અમદાવાદ DCP ઝોન 1 ની હદ માં આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેપી ની ચાલી ની અંદર ચાલતા દેશી દારૂ ના સ્ટેન્ડ નો વિડીયો વાયરલ

  • By admin
  • October 10, 2025
  • 17 views
અમદાવાદ DCP ઝોન 1 ની હદ માં આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેપી ની ચાલી ની અંદર ચાલતા દેશી દારૂ ના સ્ટેન્ડ નો વિડીયો વાયરલ

અમદાવાદના DCP ઝોન 2 ની સહરાણીય અને ઉમદા કાર્યવાહી

  • By admin
  • October 10, 2025
  • 27 views
અમદાવાદના DCP ઝોન 2 ની સહરાણીય અને ઉમદા કાર્યવાહી

ડી.સી.પી. ઝોન-2ની કડક કાર્યવાહી: સપ્ટેમ્બરમાં ગુનાખોરીની કમર તોડી, ₹14.73 લાખનો મુદ્દામાલ કબજે

  • By admin
  • October 10, 2025
  • 12 views
ડી.સી.પી. ઝોન-2ની કડક કાર્યવાહી: સપ્ટેમ્બરમાં ગુનાખોરીની કમર તોડી, ₹14.73 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા: બિહારના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો

  • By admin
  • September 21, 2025
  • 29 views
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા: બિહારના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો