
Read Time:56 Second
વડાપ્રધાન મોદીના બંદોબસ્તમાંથી પરત આવતા સુરતના કોન્સ્ટેબલનું અજાણ્યા વાહનની અડફેટે મોત
તાપીના કાકરાપારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાંથી પરત ફરતી વખતે અજાણ્યા વાહનની અડફેટે સુરત પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સેતુલ ચૌધરીનું મોત થયું છે. કાકરાપારથી બાઇક પર સુરત આવી રહેલા કોન્સ્ટેબલ સેતુલ ચૌધરીને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સુરત સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાયા બાદ કોન્સ્ટેબલના મૃતદેહને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું છે.